અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.શુક્રવારે કોરોનાના 2281 નવાં કેસ નોંધાયા છે. નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોન,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવા નોંધાયેલા 2281 કેસ પૈકી 1860 નવાં કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરૃ કરવા તૈયારીઓ શરુ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા 21 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ વિસ્તારના 19 સ્થળોનો સમાવેશ થાય છે. કોરોનાનાં દર્દીઓને સારવાર આપવા માટે કોરોનાની બીજી લહેર સમયે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુનિ.દ્વારા શરુ કરવામાં આવ્યા હતા.તેવા સમરસ કોવિડ કેર સેન્ટર શરુ કરવા ફરી તૈયારીઓ શરુ કરાઈ છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.શુક્રવારે કોરોનાના 2281 નવાં કેસ નોંધાયા છે. નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોન,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવા નોંધાયેલા 2281 કેસ પૈકી 1860 નવાં કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરૃ કરવા તૈયારીઓ શરુ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા 21 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ વિસ્તારના 19 સ્થળોનો સમાવેશ થાય છે. કોરોનાનાં દર્દીઓને સારવાર આપવા માટે કોરોનાની બીજી લહેર સમયે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુનિ.દ્વારા શરુ કરવામાં આવ્યા હતા.તેવા સમરસ કોવિડ કેર સેન્ટર શરુ કરવા ફરી તૈયારીઓ શરુ કરાઈ છે.