અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)નો આજે દિક્ષાંત સમારોહ યોજાશે.આ દિક્ષાંત (Convocation of PDPU) સમારોહને વડાપ્રધાન મોદી (PM Modi) અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છે.
આ દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ' દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છો, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખરપાવી દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે.”
અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)નો આજે દિક્ષાંત સમારોહ યોજાશે.આ દિક્ષાંત (Convocation of PDPU) સમારોહને વડાપ્રધાન મોદી (PM Modi) અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છે.
આ દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ' દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છો, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખરપાવી દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે.”