Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કોમેન્ટ બાબતે અનેકવાર વિવાદો થતા રહે છે ત્યારે વિવેકની હદ વટાવતી ઘટનામાં નવસારીમાં બીજેપી ચીખલી & વલસાડ ગ્રુપમાં ગાંધીજી વિશે પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં ગાંધીજીના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય ત્યાં એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ કરી દીધું હતું. નવસારીના ઐતિહાસિક સ્થળ દાંડી સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલા છે. ત્યારે આ ઘટનાની ખૂબ જ નિંદનીય છે. સાથોસાથ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ મામલે ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે  ગુજરાતના જ ભાજપના કેટલાક લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે ખેદજનક છે.આનાથી ભાજપની વિકૃત માનસિકતા છતી થાય છે. જેના પર ફૌજદારી ગુનો દાખલ થવો જોઈએ. આવનારા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને આગેવાનો ફરિયાદ પણ દાખલ કરશે અને દેખાવો પણ કરશે. ત્યારે ચીખલી તાલુકા માજી ભાજપ પ્રમુખ ડૉ.અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,ચીખલી ભાજપ ગ્રુપમાં જે પણ વ્યક્તિએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે.આ બિલકુલ યોગ્ય નથી.યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે.તે ભાજપનો હોદ્દેદાર નથી.આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કોમેન્ટ બાબતે અનેકવાર વિવાદો થતા રહે છે ત્યારે વિવેકની હદ વટાવતી ઘટનામાં નવસારીમાં બીજેપી ચીખલી & વલસાડ ગ્રુપમાં ગાંધીજી વિશે પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં ગાંધીજીના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય ત્યાં એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ કરી દીધું હતું. નવસારીના ઐતિહાસિક સ્થળ દાંડી સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલા છે. ત્યારે આ ઘટનાની ખૂબ જ નિંદનીય છે. સાથોસાથ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ મામલે ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે  ગુજરાતના જ ભાજપના કેટલાક લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે ખેદજનક છે.આનાથી ભાજપની વિકૃત માનસિકતા છતી થાય છે. જેના પર ફૌજદારી ગુનો દાખલ થવો જોઈએ. આવનારા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને આગેવાનો ફરિયાદ પણ દાખલ કરશે અને દેખાવો પણ કરશે. ત્યારે ચીખલી તાલુકા માજી ભાજપ પ્રમુખ ડૉ.અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,ચીખલી ભાજપ ગ્રુપમાં જે પણ વ્યક્તિએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે.આ બિલકુલ યોગ્ય નથી.યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે.તે ભાજપનો હોદ્દેદાર નથી.આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ