Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.

આ ઉપરાંત ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના પણ અનેક નેતાઓને મળ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ તે મળ્યા હતા એ જોતાં ભાજપના ધારાસભ્યો તથા નેતાઓને પણ કોરોના થવાની શક્યતા છે. આ ઉપરાંત ચૂંટમી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે પણ તે સંપર્કમાં આવતાં તેમને પણ કોરોના થવાનો ખતરો વધી ગયો છે.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.

આ ઉપરાંત ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના પણ અનેક નેતાઓને મળ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ તે મળ્યા હતા એ જોતાં ભાજપના ધારાસભ્યો તથા નેતાઓને પણ કોરોના થવાની શક્યતા છે. આ ઉપરાંત ચૂંટમી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે પણ તે સંપર્કમાં આવતાં તેમને પણ કોરોના થવાનો ખતરો વધી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ