કોંગ્રેસે અમદાવાદથી દાંડી સુધીની 'ગાંધી સંદેશ' યાત્રાનુ આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 12 માર્ચે ગાંધીઆશ્રમથી આ યાત્રા શરૂ કરવામાં આવશે અને જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જોડાશે. જયારે આ યાત્રા બાદ તેઓ અસલાલી સુધી પદ યાત્રા કરશે અને અસલાલીમાં કોંગ્રેસ કાર્યકર્તાના ઘરે રાત્રી રોકાણ કરશે. તેમના સ્વાગત માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહી છે અને શહેરના 11 સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
આ યાત્રામાં તેમની સાથે અશોક ગેહલોત પણ જોડાશે. કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ,છત્તીસગઢ ઉપરાંત અન્ય રાજ્યના એક મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય નેતાઓ જોડાશે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાશે.
કોંગ્રેસે અમદાવાદથી દાંડી સુધીની 'ગાંધી સંદેશ' યાત્રાનુ આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 12 માર્ચે ગાંધીઆશ્રમથી આ યાત્રા શરૂ કરવામાં આવશે અને જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જોડાશે. જયારે આ યાત્રા બાદ તેઓ અસલાલી સુધી પદ યાત્રા કરશે અને અસલાલીમાં કોંગ્રેસ કાર્યકર્તાના ઘરે રાત્રી રોકાણ કરશે. તેમના સ્વાગત માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહી છે અને શહેરના 11 સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
આ યાત્રામાં તેમની સાથે અશોક ગેહલોત પણ જોડાશે. કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ,છત્તીસગઢ ઉપરાંત અન્ય રાજ્યના એક મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય નેતાઓ જોડાશે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાશે.