નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) ની વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહનું મોટુ નિવેદન આવ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે કંઇ પણ થાય પરંતુ આ કાયદાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે. મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા હાંસલ થાય અને તેઓ સન્માન સાથે ભારતીય નાગરિક બનીને જીવે.