ચીન સાથે લદ્દાખ સરહદે તનાવની વચ્ચે મોસ્કોમાં ગઈકાલે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં રાજનાથસિંહના આકરા તેવર જોવા મળ્યા હતા.
રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે, ભારત પોતાની એક પણ ઈંચ જમીન નહીં છોડે.જોકે આ નિવેદન બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કર્યો છે.ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રીએ તરત નિવેદન આપ્યુ હતુ અને ભારત સરકાર દ્વારા આઠ કલાક પછી પણ કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નહોતુ.શું પીએમ મોદી પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લદ્દાખમાં ચીને ભારતની1000 ચોરસ કિલોમીટર જમીન પર જમાવેલા કબ્જા અંગે બોલવા માટે સમય નથી.
ચીન સાથે લદ્દાખ સરહદે તનાવની વચ્ચે મોસ્કોમાં ગઈકાલે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં રાજનાથસિંહના આકરા તેવર જોવા મળ્યા હતા.
રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે, ભારત પોતાની એક પણ ઈંચ જમીન નહીં છોડે.જોકે આ નિવેદન બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કર્યો છે.ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રીએ તરત નિવેદન આપ્યુ હતુ અને ભારત સરકાર દ્વારા આઠ કલાક પછી પણ કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નહોતુ.શું પીએમ મોદી પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લદ્દાખમાં ચીને ભારતની1000 ચોરસ કિલોમીટર જમીન પર જમાવેલા કબ્જા અંગે બોલવા માટે સમય નથી.