હાલ સમગ્ર દેશ 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય દિને મુખ્યમંત્રીનુ સંબોધન
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધન કરતા કહ્યું કે, ‘વિકાસની તેજ રફ્તાર જાળવી રાખવા આપણે સંકલ્પ બદ્ધ છીએ. ડીપ સી પાઈપલાઈન દ્વારા પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવું છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરવા પણ વધુ ભાર આપી રહ્યાં છે. સરકારી નોકરીમાં દોઢ લાખથી વધુ ભરતી કરી છે. વડાપ્રધાન નવા ભારતનો સંકલ્પ કર્યો છે, ગુજરાત તેની લીડ લેવા આતુર છે. નવા ગુજરાતના નિર્માણનું સંકલ્પ આઝાદીના પર્વથી કરીએ. બધાને આઝાદીના દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય...’
હાલ સમગ્ર દેશ 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય દિને મુખ્યમંત્રીનુ સંબોધન
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધન કરતા કહ્યું કે, ‘વિકાસની તેજ રફ્તાર જાળવી રાખવા આપણે સંકલ્પ બદ્ધ છીએ. ડીપ સી પાઈપલાઈન દ્વારા પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવું છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરવા પણ વધુ ભાર આપી રહ્યાં છે. સરકારી નોકરીમાં દોઢ લાખથી વધુ ભરતી કરી છે. વડાપ્રધાન નવા ભારતનો સંકલ્પ કર્યો છે, ગુજરાત તેની લીડ લેવા આતુર છે. નવા ગુજરાતના નિર્માણનું સંકલ્પ આઝાદીના પર્વથી કરીએ. બધાને આઝાદીના દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય...’