Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત-ચીન સીમા વિવાદ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે રાવતે કહ્યું છે કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ નહીં આવે તો સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો જ છે. જોકે શાંતિથી સમાધાન કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેના દરેક સમયે તૈયારરાવતે કહ્યું છે કે, આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC)ની આસપાસ અતિક્રમણ રોકવા અને આ પ્રકારની હરકતો પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સરકાર વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવા માંગે છે, પરંતુ જો LAC પર સ્થિતિ સામાન્ય રાખવાનો પ્રયત્ન સફળ નહીં થાય તો સેના દરેક સમય માટે તૈયાર છે.

રક્ષામંત્રી દરેક વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છેરાવતે જણાવ્યું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય સંબંધિત લોકો લદ્દાખમાં LAC પર સ્થિતિ પહેલાં જેવી સામાન્ય થાય તે માટે દરેક વિકલ્પો વિશે ચર્ચા વિચારણાં કરી રહ્યા છે. રાવતે ઈન્ટેલિજન્સ એજન્સીઓના કો-ઓર્ડિનેટમાં ખામી હોવાની વાત પણ ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે, એજન્સીઓ વચ્ચે સતત વાતચીત થતી રહે છે. મલ્ટી એજન્સી સેન્ટરની રોજ મીટિંગ થાય છે. આપણે સીમા પર આપણાં વિસ્તારોમાં 24 કલાક નજર રાખવાની વ્યવસ્થા કરી છે.

ભારત-ચીન સીમા વિવાદ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે રાવતે કહ્યું છે કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ નહીં આવે તો સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો જ છે. જોકે શાંતિથી સમાધાન કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેના દરેક સમયે તૈયારરાવતે કહ્યું છે કે, આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC)ની આસપાસ અતિક્રમણ રોકવા અને આ પ્રકારની હરકતો પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સરકાર વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવા માંગે છે, પરંતુ જો LAC પર સ્થિતિ સામાન્ય રાખવાનો પ્રયત્ન સફળ નહીં થાય તો સેના દરેક સમય માટે તૈયાર છે.

રક્ષામંત્રી દરેક વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છેરાવતે જણાવ્યું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય સંબંધિત લોકો લદ્દાખમાં LAC પર સ્થિતિ પહેલાં જેવી સામાન્ય થાય તે માટે દરેક વિકલ્પો વિશે ચર્ચા વિચારણાં કરી રહ્યા છે. રાવતે ઈન્ટેલિજન્સ એજન્સીઓના કો-ઓર્ડિનેટમાં ખામી હોવાની વાત પણ ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે, એજન્સીઓ વચ્ચે સતત વાતચીત થતી રહે છે. મલ્ટી એજન્સી સેન્ટરની રોજ મીટિંગ થાય છે. આપણે સીમા પર આપણાં વિસ્તારોમાં 24 કલાક નજર રાખવાની વ્યવસ્થા કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ