કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે જાહેરાત કરી હતી કે, દેશભરમાં સીબીએસઈની ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓ ૪મેથી ૧૦ જૂન સુધી યોજાશે. ૧૫ જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ પહેલાં ૧ માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, બોર્ડની વેબસાઈટ ઉપર પરીક્ષાની તમામ વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ૩૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં હાજરી આપશે. કોરોનાકાળની તમામ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને આ વખતે ઓફલાઈન પરીક્ષાઓ જ લેવામાં આવશે. વિદેશમાં ચાલતી સીબીએસઈ સ્કૂલ્સ માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે જાહેરાત કરી હતી કે, દેશભરમાં સીબીએસઈની ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓ ૪મેથી ૧૦ જૂન સુધી યોજાશે. ૧૫ જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ પહેલાં ૧ માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, બોર્ડની વેબસાઈટ ઉપર પરીક્ષાની તમામ વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ૩૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં હાજરી આપશે. કોરોનાકાળની તમામ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને આ વખતે ઓફલાઈન પરીક્ષાઓ જ લેવામાં આવશે. વિદેશમાં ચાલતી સીબીએસઈ સ્કૂલ્સ માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવશે.