ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માત બાદ રાહત તેમજ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે આ રૂટ પર રેલ વ્યવહાર ફરી શરૂ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલેશ્વર જિલ્લાના બહાનાગા પાસે થયેલા ટ્રેન અકસ્માતમાં CBI તપાસ કરવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ આજે સાંજે ભુવનેશ્વરમાં પત્રકારોને કહ્યું કે, અમે 3 ટ્રેન સાથે જોડાયેલા અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ અકસ્માતમાં 275 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.