ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) શુક્રવારે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે અને તેઓને કોરોના સામે રક્ષણ આપતાં રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત છે. તેઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેનું વિતરણ આજે કરવામાં આવી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક remdesivir ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે . ફક્ત ૯/૪/૨૧ તથા ૧૦/૪/૨૧ના રોજ ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) શુક્રવારે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે અને તેઓને કોરોના સામે રક્ષણ આપતાં રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત છે. તેઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેનું વિતરણ આજે કરવામાં આવી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક remdesivir ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે . ફક્ત ૯/૪/૨૧ તથા ૧૦/૪/૨૧ના રોજ ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે.