બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો બાદ હિન્દુઓ સહિત બાકી લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનાથી બચવા ભારતમાં ઘૂસણખોરી પણ વધી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે સરહદ પર ડેરો જમાવીને બેઠા છે. હાલમાં જ ત્રિપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી કરી રહેલ માતા અને તેની 13 વર્ષીય દિકરીને બીએસએફના જવાનોને રોકતાં ગોળીબારીમાં સગીરાનું મોત થયુ હતું.