ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. જેને લઇને સુરત (surat) માં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. સી.આર.પાટીલ (cr patil) છેલ્લા અનેક વર્ષોથી પોતાના જન્મદિવસની કોઈ પણ ઉજવણી કરતા નથી. જોકે તેમના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ સુરત અને નવસારીમાં રક્તદાન કેમ્પ, વિકલાંગોને જરૂરી વસ્તુઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે છ હજાર યુનિટ લોહી ભેગું કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આહીર સમાજ દ્વારા વીમા યોજના અંતર્ગત 21000 ફોર્મ ભરી તેની તુલના કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે.
આજના ખાસ દિવસે સીઆર પાટીલે જણાવ્યું કે, હું મારો જન્મદિવસ ક્યારેય ઉજવતો નથી. પરંતુ સમર્થકો અને શુભેચ્છકો અલગ-અલગ સમાજસેવી કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે. જેના થકી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે. આ સાથે જ 67 કિલો વજનની બર્થ ડે કેક પણ બનાવવામાં આવી હતી. જે ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને ખવડાવવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. જેને લઇને સુરત (surat) માં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. સી.આર.પાટીલ (cr patil) છેલ્લા અનેક વર્ષોથી પોતાના જન્મદિવસની કોઈ પણ ઉજવણી કરતા નથી. જોકે તેમના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ સુરત અને નવસારીમાં રક્તદાન કેમ્પ, વિકલાંગોને જરૂરી વસ્તુઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે છ હજાર યુનિટ લોહી ભેગું કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આહીર સમાજ દ્વારા વીમા યોજના અંતર્ગત 21000 ફોર્મ ભરી તેની તુલના કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે.
આજના ખાસ દિવસે સીઆર પાટીલે જણાવ્યું કે, હું મારો જન્મદિવસ ક્યારેય ઉજવતો નથી. પરંતુ સમર્થકો અને શુભેચ્છકો અલગ-અલગ સમાજસેવી કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે. જેના થકી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે. આ સાથે જ 67 કિલો વજનની બર્થ ડે કેક પણ બનાવવામાં આવી હતી. જે ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને ખવડાવવામાં આવી હતી.