રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે. રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગત ધારાસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
શહેર કોંગ્રેસમાં આ નેતાએ અગાઉ જ્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હતા ત્યારે રાજ્યગુરૂએ પોતાના ફાર્મહાઉસમાં સૌરાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને સાચવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સાથે મહાનગરપાલિકામાં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટરો પૈકી સૌથી સક્રિય ગણાતા પૂર્વ વિપક્ષી નેતા અને દલિત આગેવાન વશરામ સાગઠીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાનું આજે જાહેર કર્યું છે.
રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે. રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગત ધારાસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
શહેર કોંગ્રેસમાં આ નેતાએ અગાઉ જ્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હતા ત્યારે રાજ્યગુરૂએ પોતાના ફાર્મહાઉસમાં સૌરાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને સાચવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સાથે મહાનગરપાલિકામાં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટરો પૈકી સૌથી સક્રિય ગણાતા પૂર્વ વિપક્ષી નેતા અને દલિત આગેવાન વશરામ સાગઠીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાનું આજે જાહેર કર્યું છે.