કોરોનાકાળમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સરકારી બેન્ક બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી વિવિધ સેવાઓ પર અલગ અલગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ અંગે હોબાળો થતાં બેન્કે તેના આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.
વધુમાં નાણામંત્રાલયે મંગળવારે ખુલાસો કર્યો હતો કે કોઈપણ સરકારી બેન્કમાં સર્વિસ ચાર્જીસમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી સેવિંગ્સ એકાઉન્ટના ખાતેદારો પાસેથી માસિક ત્રણ વધુના જમા પર રૂ. 40 અને ઉપાડ પર રૂ. 100નો ચાર્જ વસૂલવાનો તેમજ કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં દૈનિક એક લાખ રૂપિયાથી વધુની રકમ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો.
કોરોનાકાળમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સરકારી બેન્ક બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી વિવિધ સેવાઓ પર અલગ અલગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ અંગે હોબાળો થતાં બેન્કે તેના આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.
વધુમાં નાણામંત્રાલયે મંગળવારે ખુલાસો કર્યો હતો કે કોઈપણ સરકારી બેન્કમાં સર્વિસ ચાર્જીસમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી સેવિંગ્સ એકાઉન્ટના ખાતેદારો પાસેથી માસિક ત્રણ વધુના જમા પર રૂ. 40 અને ઉપાડ પર રૂ. 100નો ચાર્જ વસૂલવાનો તેમજ કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં દૈનિક એક લાખ રૂપિયાથી વધુની રકમ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો.