ઘણી લાંબી રાહ જોયા બાદ હવે રામની નગરી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં 5મી ઓગષ્ટે યોજાનારા ભૂમિ પૂજન પહેલા સોમવારથી જ ત્રણ દિવસનું પૂજન અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે. ત્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આ ઉત્સવની તૈયારી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 5મી ઓગષ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં 'Ram Temple Groundbreaking Celebrations' યોજાવા જઈ રહ્યું છે. બુધવારે સાંજે 7:30 કલાકે આ સમારંભનું આયોજન થશે.
રામ જન્મભૂમિ શિલાન્યાસ કમિટી (યુએસએ)ના ચેરમેન જગદીશ સેવહાનીના કહેવા પ્રમાણે 5મી ઓગષ્ટે સાંજે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના મોડલની 3D તસવીરો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં સામેલ થનારા લોકો માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
ઘણી લાંબી રાહ જોયા બાદ હવે રામની નગરી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં 5મી ઓગષ્ટે યોજાનારા ભૂમિ પૂજન પહેલા સોમવારથી જ ત્રણ દિવસનું પૂજન અનુષ્ઠાન શરૂ થઈ ગયું છે. ત્યારે અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આ ઉત્સવની તૈયારી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 5મી ઓગષ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં 'Ram Temple Groundbreaking Celebrations' યોજાવા જઈ રહ્યું છે. બુધવારે સાંજે 7:30 કલાકે આ સમારંભનું આયોજન થશે.
રામ જન્મભૂમિ શિલાન્યાસ કમિટી (યુએસએ)ના ચેરમેન જગદીશ સેવહાનીના કહેવા પ્રમાણે 5મી ઓગષ્ટે સાંજે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ટાઈમ્સ સ્ક્વેર પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના મોડલની 3D તસવીરો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં સામેલ થનારા લોકો માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે.