બાંગ્લાદેશમાં લઘુમતી પરિવારોના ઘરોમાં તોડફોડનો બનાવ બન્યો છે. એક અફવાને પગલે ફ્રાન્સને સમર્થન કરતા હોવાનો આરોપ મૂકી લઘુમતીના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન, ફ્રાન્સ પ્રમુખના વલણ બદલ મુસ્લિમ દેશો તીવ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે યુએઇ ફ્રાન્સના સમર્થનમાં ઊતર્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદે ફ્રાન્સના નીસ શહેરમાં આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. બીજી તરફ ઇમરાન ખાનની બયાનબાજી પાકિસ્તાનને ભારે પડી છે. ફ્રાન્સે ૧૮૩ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા છે.
બાંગ્લાદેશમાં લઘુમતી પરિવારોના ઘરોમાં તોડફોડનો બનાવ બન્યો છે. એક અફવાને પગલે ફ્રાન્સને સમર્થન કરતા હોવાનો આરોપ મૂકી લઘુમતીના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન, ફ્રાન્સ પ્રમુખના વલણ બદલ મુસ્લિમ દેશો તીવ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે યુએઇ ફ્રાન્સના સમર્થનમાં ઊતર્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદે ફ્રાન્સના નીસ શહેરમાં આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. બીજી તરફ ઇમરાન ખાનની બયાનબાજી પાકિસ્તાનને ભારે પડી છે. ફ્રાન્સે ૧૮૩ પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દીધા છે.