કોરોના વાયરાસને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શુક્રવારે સવારે 9 વાગ્યે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. આજે નવા 328 કેસો બહાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે.તબલિગી સમાજે દેશભરમાં કોરોના ફેલાવતાં કોરોનાને રોકવો સરકારને ભારે પડી રહ્યો છે. દેશમાં ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો તો લોકોએ ઘરમાં રહેવા સિવાય છૂટકો નથી.
કોરોના વાયરાસને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શુક્રવારે સવારે 9 વાગ્યે ફરી એકવાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. આજે નવા 328 કેસો બહાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે.તબલિગી સમાજે દેશભરમાં કોરોના ફેલાવતાં કોરોનાને રોકવો સરકારને ભારે પડી રહ્યો છે. દેશમાં ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો તો લોકોએ ઘરમાં રહેવા સિવાય છૂટકો નથી.