ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધિક જનસંપર્ક અધિકારી તરીકે શ્રી હિતેષભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક તેમના વર્ષોના અનુભવો, કાર્યક્ષમતા, સમર્પિતતા અને સ્પષ્ટ છબીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. છેક ૨૦૦૧થી અધિક જનસંપર્ક અધિકારી તરીકે શ્રી હિતેષભાઈ પંડ્યા કાર્યરત છે અને ગુજરાતના ભાજપના બધા જ મુખ્યમંત્રીશ્રીઓ સાથે કાર્યરત રહ્યા છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ૧૯૭૦થી સાર્વજનિક જીવનમાં છે. ABVP, હિન્દુ યુવક પરિષદ, ભાજપ મીડિયા તેમજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે અને તેમના પત્રકારત્વના અનુભવને આધારે તેઓશ્રી ૨૦૦૧થી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીઓ સ્વ. શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ હવે વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વડોદરામાં જન્મેલા શ્રી હિતેષભાઈ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને સ્નાતક કક્ષાનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ થયું. પત્રકારિત્વની બારાખડી ફૂલછાબમાં ઘૂંટી.
ગુજરાતી ભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં શ્રી હિતેષભાઈ પંડ્યાએ ૨૨ વર્ષ સુધી વિવિધ સિનિયર હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં શ્રી હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ અંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો, જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
શ્રી હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board) ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...જય રણછોડ માખણ ચોર...જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજટકોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશિયલ ગ્રુપની સ્થાપના કરી.
ગુજરાતના પાટનગરમાં સ્થાયી થયા બાદ તેમણે શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. હાલ, તેઓ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના વૈશ્વિક સંગઠન AGBS Federationના પ્રમુખપદે પણ રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રવાદી વિચારયાત્રાથી પ્રેરિત થઈને NATION FIRST FOUNDATIONની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રવાદી ઓળખ ધરાવે છે, જેના તેઓ સ્થાપક ટ્રસ્ટીમાંના એક છે.
તેમના સોશિયલ મીડિયામાં આજે વિવિધ ગ્રુપ ચાલે છે જેમાં વિવિધ વિચારો, સુવિચારો, ગીત-સંગીત અને SHARE MEMORY, SHARE PHOTO જેવા અનોખા ગ્રુપ થકી G to G Family Social Welfare Foundationની સ્થાપના કરી. જેના થકી વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતા વિવિધ લોકોને જોડીને વર્ષમાં એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ કરીને વોટ્સએપ મિત્રોને જોડીને અનોખી G to G Family બનાવી છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ગુજરાત સરકારમાં APRO to Chief Minister તરીકેની કામગીરી સાથે સાથે જ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.
તેમના ધર્મપત્ની શ્રીમતી આશાબેન પંડ્યા કે, જેઓ ગૃહિણી હોવાની સાથે સાથે જ સમાજ સેવામાં અગ્રેસર છે. જેઓ હાલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદેથી નિવૃત્ત થયાં છે પણ જવાબદારી અહર્નિશ ચાલુ છે.
શ્રી હિતેષભાઈના સંતાનોમાં પુત્રી અંજલી પણ પત્રકાર છે અને તેમના પતિ અવિનાશ ત્રિવેદી SOFTWARE ENGINEER છે તેઓની પુત્રીનું નામ મહેર છે, જે હાલ ગુડગાંવ (નવી દિલ્હી)માં વસે છે.
શ્રી હિતેષભાઈના પુત્ર અમિત હિતેષભાઈ પંડ્યાએ વડોદરાની M. S. Universityમાં ફાઈન આટ્ર્સનો અભ્યાસ કરીને મલ્ટી મીડિયા હાઉસ સાથે જોડાયા અને આજે HOME SECURITY SOLUTIONના નામે વ્યવસાય કરે છે અને ભાજપના Social Media Cellમાં ઉત્તર ઝોન કન્વીનર છે અને તેમના પુત્રવધૂ ભાવિશા પંડ્યા ડ્રેસ ડિઝાઈનર છે અને તેમના પુત્રના વ્યવસાયમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. હિતેષભાઈ પંડ્યાના પૌત્રીનું નામ છે આદ્યા અને પૌત્ર આરાધ્ય બંને ગાંધીનગરમાં અભ્યાસ કરે છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની ૮૦થી વધુ ક્લબો આવેલી છે. તેમજ નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન, સરગમ ક્લબ, G2G જેવી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે.
ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધિક જનસંપર્ક અધિકારી તરીકે શ્રી હિતેષભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક તેમના વર્ષોના અનુભવો, કાર્યક્ષમતા, સમર્પિતતા અને સ્પષ્ટ છબીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. છેક ૨૦૦૧થી અધિક જનસંપર્ક અધિકારી તરીકે શ્રી હિતેષભાઈ પંડ્યા કાર્યરત છે અને ગુજરાતના ભાજપના બધા જ મુખ્યમંત્રીશ્રીઓ સાથે કાર્યરત રહ્યા છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ૧૯૭૦થી સાર્વજનિક જીવનમાં છે. ABVP, હિન્દુ યુવક પરિષદ, ભાજપ મીડિયા તેમજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે અને તેમના પત્રકારત્વના અનુભવને આધારે તેઓશ્રી ૨૦૦૧થી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીઓ સ્વ. શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ હવે વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વડોદરામાં જન્મેલા શ્રી હિતેષભાઈ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને સ્નાતક કક્ષાનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ થયું. પત્રકારિત્વની બારાખડી ફૂલછાબમાં ઘૂંટી.
ગુજરાતી ભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં શ્રી હિતેષભાઈ પંડ્યાએ ૨૨ વર્ષ સુધી વિવિધ સિનિયર હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં શ્રી હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ અંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો, જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
શ્રી હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board) ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...જય રણછોડ માખણ ચોર...જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજટકોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશિયલ ગ્રુપની સ્થાપના કરી.
ગુજરાતના પાટનગરમાં સ્થાયી થયા બાદ તેમણે શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. હાલ, તેઓ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના વૈશ્વિક સંગઠન AGBS Federationના પ્રમુખપદે પણ રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રવાદી વિચારયાત્રાથી પ્રેરિત થઈને NATION FIRST FOUNDATIONની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રવાદી ઓળખ ધરાવે છે, જેના તેઓ સ્થાપક ટ્રસ્ટીમાંના એક છે.
તેમના સોશિયલ મીડિયામાં આજે વિવિધ ગ્રુપ ચાલે છે જેમાં વિવિધ વિચારો, સુવિચારો, ગીત-સંગીત અને SHARE MEMORY, SHARE PHOTO જેવા અનોખા ગ્રુપ થકી G to G Family Social Welfare Foundationની સ્થાપના કરી. જેના થકી વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતા વિવિધ લોકોને જોડીને વર્ષમાં એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ કરીને વોટ્સએપ મિત્રોને જોડીને અનોખી G to G Family બનાવી છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ગુજરાત સરકારમાં APRO to Chief Minister તરીકેની કામગીરી સાથે સાથે જ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.
તેમના ધર્મપત્ની શ્રીમતી આશાબેન પંડ્યા કે, જેઓ ગૃહિણી હોવાની સાથે સાથે જ સમાજ સેવામાં અગ્રેસર છે. જેઓ હાલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદેથી નિવૃત્ત થયાં છે પણ જવાબદારી અહર્નિશ ચાલુ છે.
શ્રી હિતેષભાઈના સંતાનોમાં પુત્રી અંજલી પણ પત્રકાર છે અને તેમના પતિ અવિનાશ ત્રિવેદી SOFTWARE ENGINEER છે તેઓની પુત્રીનું નામ મહેર છે, જે હાલ ગુડગાંવ (નવી દિલ્હી)માં વસે છે.
શ્રી હિતેષભાઈના પુત્ર અમિત હિતેષભાઈ પંડ્યાએ વડોદરાની M. S. Universityમાં ફાઈન આટ્ર્સનો અભ્યાસ કરીને મલ્ટી મીડિયા હાઉસ સાથે જોડાયા અને આજે HOME SECURITY SOLUTIONના નામે વ્યવસાય કરે છે અને ભાજપના Social Media Cellમાં ઉત્તર ઝોન કન્વીનર છે અને તેમના પુત્રવધૂ ભાવિશા પંડ્યા ડ્રેસ ડિઝાઈનર છે અને તેમના પુત્રના વ્યવસાયમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. હિતેષભાઈ પંડ્યાના પૌત્રીનું નામ છે આદ્યા અને પૌત્ર આરાધ્ય બંને ગાંધીનગરમાં અભ્યાસ કરે છે.
શ્રી હિતેષભાઈ પંડ્યા ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની ૮૦થી વધુ ક્લબો આવેલી છે. તેમજ નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન, સરગમ ક્લબ, G2G જેવી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે.