AIIMS ઋષિકેશમાં પોસ્ટમોર્ટમ બાદ પૌડીની પુત્રી અંકિતાના મૃતદેહને શ્રીનગરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આજે અંકિતાના અંતિમ સંસ્કાર અલકનંદા નદીના કિનારે પૈતૃક ઘાટ પર થવાના હતા પરંતુ પરિવારે આજે અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે. પરિવારજનોએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેરફાર થઈ શકે છે.