કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતના અંતિમ દિવસે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ આજે તેઓ પક્ષના રાજ્ય એકમના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે.
2021માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે અમિત શાહ અહીં આવ્યા હતા. આજે બપોરે તેઓ મતુઆ સમાજના કાર્યકરને ત્યાં ભોજન કરશે. બંગાળમાં મતુઆ સમાજના લોકોની વસતિ 70 લાખથી વધારે છે . ગુરુવારે તેમણે બાંકુરામાં આદિવાસી પરિવારને ત્યાં ભોજન કર્યું હતું.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતના અંતિમ દિવસે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ આજે તેઓ પક્ષના રાજ્ય એકમના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે.
2021માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે અમિત શાહ અહીં આવ્યા હતા. આજે બપોરે તેઓ મતુઆ સમાજના કાર્યકરને ત્યાં ભોજન કરશે. બંગાળમાં મતુઆ સમાજના લોકોની વસતિ 70 લાખથી વધારે છે . ગુરુવારે તેમણે બાંકુરામાં આદિવાસી પરિવારને ત્યાં ભોજન કર્યું હતું.