પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં રોડ શો કર્યો હતો. રોડ શો સ્થાનિક બીજેપી કાર્યાલય પ્રેમહરિ ભવનથી શરૂ થયો હતો અને લગભગ એક કિલોમીટરની સફર તય કર્યા પછી તેનું સમાપન માલનચા પેટ્રોલ પંપ પર થયું હતું.
અમિત શાહ સાથે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ દિલીપ ધોષ પણ હતા. રેલીમાં ભાજપાના હજારો સમર્થકો સામેલ થયા હતા. રોડ શો જોવા માટે ઘરોની છત પર અને બાલકનીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.
પોતાના સંબોધનમાં અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં બીજેપી 200થી વધારે સીટો જીતીને બહુમતની સરકાર બનાવશે. સરકાર ગઠન પછી ભાજપા બંગાળથી તૃષ્ટિકરણ ખતમ કરશે. ભ્રષ્ટાચાર અને રંગદારી વસૂલીની સાથે ત્યાંની કટમની સંસ્કૃતિને ખતમ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનને ગતિ પ્રદાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મિદનાપુર જિલ્લામાં રોડ શો કર્યો હતો. રોડ શો સ્થાનિક બીજેપી કાર્યાલય પ્રેમહરિ ભવનથી શરૂ થયો હતો અને લગભગ એક કિલોમીટરની સફર તય કર્યા પછી તેનું સમાપન માલનચા પેટ્રોલ પંપ પર થયું હતું.
અમિત શાહ સાથે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ દિલીપ ધોષ પણ હતા. રેલીમાં ભાજપાના હજારો સમર્થકો સામેલ થયા હતા. રોડ શો જોવા માટે ઘરોની છત પર અને બાલકનીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.
પોતાના સંબોધનમાં અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં બીજેપી 200થી વધારે સીટો જીતીને બહુમતની સરકાર બનાવશે. સરકાર ગઠન પછી ભાજપા બંગાળથી તૃષ્ટિકરણ ખતમ કરશે. ભ્રષ્ટાચાર અને રંગદારી વસૂલીની સાથે ત્યાંની કટમની સંસ્કૃતિને ખતમ કરવામાં આવશે.