પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય તે ગુજરાતના અમદાવાદનું જગન્નાથ મંદિર છે. શહેરના આ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ થવા જઈ રહી છે. રિવર ફ્રન્ટને ડેવલપ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા 110 કરોડના ખર્ચે જગન્નાથજી મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ કરવાનું નક્કી કરાયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 1લી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જમાલપુરના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની આસપાસની 10 એકરથી વધુ જમીનના રિ-ડેવલપમેન્ટની દરખાસ્ત મૂકવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે જગન્નાથ મંદિર માત્ર અમદાવાદ માટે નહીં સમગ્ર ગુજરાત માટે એક શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.
પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય તે ગુજરાતના અમદાવાદનું જગન્નાથ મંદિર છે. શહેરના આ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ થવા જઈ રહી છે. રિવર ફ્રન્ટને ડેવલપ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા 110 કરોડના ખર્ચે જગન્નાથજી મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ કરવાનું નક્કી કરાયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 1લી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જમાલપુરના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની આસપાસની 10 એકરથી વધુ જમીનના રિ-ડેવલપમેન્ટની દરખાસ્ત મૂકવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે જગન્નાથ મંદિર માત્ર અમદાવાદ માટે નહીં સમગ્ર ગુજરાત માટે એક શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.