Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં નીકળનારી 143મી રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ સમક્ષ અરજી કરવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની પણ માગ કરવામાં આવી છે.

એક પત્રકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી છે. અરજીમાં દાવો કરાયો છે કે, અમદાવાદની રથયાત્રામાં લાખો ભક્તો ભેગા થતા હોય, ત્યારે કોરોનાનું સંક્રમણ થવાનો ભય હોવાથી રથયાત્રા પર રોક લગાવવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ PIL મુદ્દે નિર્ણય લેવામાં આવશે અને ક્યારે આ અંગે સુનાવણી કરવામાં આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે હાઈકોર્ટ આ અરજી સંદર્ભે શું નિર્દેશો આપે છે તે જોવાનું રહેશે.

નોંધનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓરિસ્સામાં નીકળતી જગન્નાથ યાત્રા પર રોક લગાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં રથયાત્રા નીકળે કે નહીં.

અમદાવાદમાં નીકળનારી 143મી રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ સમક્ષ અરજી કરવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની પણ માગ કરવામાં આવી છે.

એક પત્રકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી છે. અરજીમાં દાવો કરાયો છે કે, અમદાવાદની રથયાત્રામાં લાખો ભક્તો ભેગા થતા હોય, ત્યારે કોરોનાનું સંક્રમણ થવાનો ભય હોવાથી રથયાત્રા પર રોક લગાવવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ PIL મુદ્દે નિર્ણય લેવામાં આવશે અને ક્યારે આ અંગે સુનાવણી કરવામાં આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે હાઈકોર્ટ આ અરજી સંદર્ભે શું નિર્દેશો આપે છે તે જોવાનું રહેશે.

નોંધનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓરિસ્સામાં નીકળતી જગન્નાથ યાત્રા પર રોક લગાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં રથયાત્રા નીકળે કે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ