અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કોરોના ગાઇડલાઇન્સ સાથે ફલાવર શો-2022નું આયોજન થશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ફલાવર શો માટે ટિકીટના દર પણ નક્કી કર્યા છે. ઓનલાઇન ટિકિટથી બુકીંગ થશે. દર એક કલાકે 400 લોકોને પ્રવેશ મળશે. અમદાવાદ શહેરમાં 8 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી વચ્ચે 15 દિવસ માટે ફ્લાવર શો યોજાશે. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઉજવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ફલાવર શોના ટિકિટ દરની વાત કરવામાં આવે તો 12 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 30 રૂપિયા રહેશે. સાથે સિનિયર સિટીઝન માટે પણ 30 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 50 રૂપિયા રહેશે. શનિવાર અને રવિવારના રોજ ટિકિટ દરમાં ભાવ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝનોની ટિકિટ 50 રૂપિયા રાખવામાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 100 રૂપિયા રહેશે.
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કોરોના ગાઇડલાઇન્સ સાથે ફલાવર શો-2022નું આયોજન થશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ફલાવર શો માટે ટિકીટના દર પણ નક્કી કર્યા છે. ઓનલાઇન ટિકિટથી બુકીંગ થશે. દર એક કલાકે 400 લોકોને પ્રવેશ મળશે. અમદાવાદ શહેરમાં 8 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી વચ્ચે 15 દિવસ માટે ફ્લાવર શો યોજાશે. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઉજવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ફલાવર શોના ટિકિટ દરની વાત કરવામાં આવે તો 12 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 30 રૂપિયા રહેશે. સાથે સિનિયર સિટીઝન માટે પણ 30 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 50 રૂપિયા રહેશે. શનિવાર અને રવિવારના રોજ ટિકિટ દરમાં ભાવ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝનોની ટિકિટ 50 રૂપિયા રાખવામાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ 13 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચેના લોકોની ટિકિટ 100 રૂપિયા રહેશે.