યુ. એન. દ્વારા 1991થી દર વર્ષે 3જી ડિસેમ્બરે વૈશ્વિક વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અમદાવાદમાં પણ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુનાટેડ નેશન્સ એસોસિએશન દ્વારા પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરનાર કલગી રાવલ સહિત ઇમરાન શેખ, ર્ડા, રચના શાહ, ઓમ વ્યાસ અને સોનલ પટેલ ને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.
શહેરના આશ્રમ રોડ ખાતેની બહેરા-મૂંગા શાળામાં યુનાઇટેડ નેશન્સ એસોસિએશન દ્વારા વૈશ્વિક દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરત પંડ્યા અને ધનરાજ નથવાણી હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં શહેર ભરના દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા અને તેમના જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ માટે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તે તમામને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ઉપરાંત તેમને સમજાવવામાં આવ્યું હતું કે દિવ્યાંગ હોવાથી જીવનમાં હાર માનવાની જરૂર નથી પરંતુ એક પડકાર સમજીને તેની સામે જીત હાંસલ કરવી જોઈએ.
યુ. એન. દ્વારા 1991થી દર વર્ષે 3જી ડિસેમ્બરે વૈશ્વિક વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અમદાવાદમાં પણ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુનાટેડ નેશન્સ એસોસિએશન દ્વારા પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરનાર કલગી રાવલ સહિત ઇમરાન શેખ, ર્ડા, રચના શાહ, ઓમ વ્યાસ અને સોનલ પટેલ ને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.
શહેરના આશ્રમ રોડ ખાતેની બહેરા-મૂંગા શાળામાં યુનાઇટેડ નેશન્સ એસોસિએશન દ્વારા વૈશ્વિક દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરત પંડ્યા અને ધનરાજ નથવાણી હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં શહેર ભરના દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા અને તેમના જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ માટે તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તે તમામને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ઉપરાંત તેમને સમજાવવામાં આવ્યું હતું કે દિવ્યાંગ હોવાથી જીવનમાં હાર માનવાની જરૂર નથી પરંતુ એક પડકાર સમજીને તેની સામે જીત હાંસલ કરવી જોઈએ.