સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા.
સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા.