મોદી સરકારના કૃષિ બિલો ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્યના અનેક દરવાજા ખોલી નાંખશે તેવા ભાજપનો દાવો છે. કેન્દ્ર સરકાર રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલો રજૂ કરશે.
લોકસભામાં એનડીએની બહુમતી હોવાથી કૃષિ બિલો નિર્વિરોધ પસાર થઈ ગયા હતા, પરંતુ 245 સભ્યોની રાજ્યસભામાં એનડીએની બહુમતી ન હોવાથી આ બિલો પસાર કરવા મોદી સરકારે વિશેષ રણનીતિ બનાવી છે.
245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલ બે સૃથાન ખાલી છે. એવામાં બિલ પસાર કરાવવા માટે બહુમતનો આંકડો 122 છે. ભાજપના 86 સાંસદ છે તેમજ એનડીએના સાથી પક્ષો સાથે તેનું કુલ સંખ્યાબળ 105 થાય છે. અકાલી દળે કૃષિ બિલોનો વિરોધ કર્યો હોવાથી તેના ત્રણ સાંસદો વિરોધમાં મતદાન કરશે.
મોદી સરકારના કૃષિ બિલો ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્યના અનેક દરવાજા ખોલી નાંખશે તેવા ભાજપનો દાવો છે. કેન્દ્ર સરકાર રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલો રજૂ કરશે.
લોકસભામાં એનડીએની બહુમતી હોવાથી કૃષિ બિલો નિર્વિરોધ પસાર થઈ ગયા હતા, પરંતુ 245 સભ્યોની રાજ્યસભામાં એનડીએની બહુમતી ન હોવાથી આ બિલો પસાર કરવા મોદી સરકારે વિશેષ રણનીતિ બનાવી છે.
245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલ બે સૃથાન ખાલી છે. એવામાં બિલ પસાર કરાવવા માટે બહુમતનો આંકડો 122 છે. ભાજપના 86 સાંસદ છે તેમજ એનડીએના સાથી પક્ષો સાથે તેનું કુલ સંખ્યાબળ 105 થાય છે. અકાલી દળે કૃષિ બિલોનો વિરોધ કર્યો હોવાથી તેના ત્રણ સાંસદો વિરોધમાં મતદાન કરશે.