કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે સેનામાં ભરતી ન થઈ શક્યા હોય તેવા વયમર્યાદા પાર કરી ચુકેલા યુવાનોને મોટી રાહત આપી છે. આવા યુવાનો હવે 'અગ્નિપથ' યોજના અંતર્ગત સેનામાં ભરતી થઈ શકશે. સરકારે ફક્ત આ વર્ષ માટે 'અગ્નિપથ' યોજના માટે ઈચ્છુક ઉમેદવારોની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે. આ વર્ષ માટે વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરતી માટે સરકારે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નિર્ધારિત કરેલી હતી. છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી નહોતી થઈ રહી. આ કારણે સરકારે સેનામાં ભરતી માટેની તૈયારી કરી રહેલા 23 વર્ષ સુધીની ઉંમરના યુવાનોને 'અગ્નિપથ' યોજના અંતર્ગત આ તક આપી છે.
કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે સેનામાં ભરતી ન થઈ શક્યા હોય તેવા વયમર્યાદા પાર કરી ચુકેલા યુવાનોને મોટી રાહત આપી છે. આવા યુવાનો હવે 'અગ્નિપથ' યોજના અંતર્ગત સેનામાં ભરતી થઈ શકશે. સરકારે ફક્ત આ વર્ષ માટે 'અગ્નિપથ' યોજના માટે ઈચ્છુક ઉમેદવારોની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે. આ વર્ષ માટે વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરતી માટે સરકારે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નિર્ધારિત કરેલી હતી. છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી નહોતી થઈ રહી. આ કારણે સરકારે સેનામાં ભરતી માટેની તૈયારી કરી રહેલા 23 વર્ષ સુધીની ઉંમરના યુવાનોને 'અગ્નિપથ' યોજના અંતર્ગત આ તક આપી છે.