ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે.
નિવૃત્ત થયેલા હાલના ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી હતી.એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.
આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા.તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાના માતા વિજય લક્ષ્મીના આશીર્વાદ લીધા હતા.દરમિયાન વિદાય લઈ રહેલા નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે, 30 મહિના સુધી મને નૌસેનાની કમાન સંભાળવાનુ સન્માન મળ્યુ હતુ.એક યોગ્ય લીડરશીપના હાથમાં નૌસેનાને હું સોંપી રહ્યો છુ.
ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે.
નિવૃત્ત થયેલા હાલના ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી હતી.એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.
આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા.તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાના માતા વિજય લક્ષ્મીના આશીર્વાદ લીધા હતા.દરમિયાન વિદાય લઈ રહેલા નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે, 30 મહિના સુધી મને નૌસેનાની કમાન સંભાળવાનુ સન્માન મળ્યુ હતુ.એક યોગ્ય લીડરશીપના હાથમાં નૌસેનાને હું સોંપી રહ્યો છુ.