લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વખત કમલનાથના સહયોગીઓ દ્વારા કરાયેલા કથિત ૨૮૭ કરોડના બેનામી લેવડદેવડનું ભૂત ધૂણ્યું છે. ટાઈમ્સ નાઉના એહવાલ પ્રમાણે ૨૮૭ કરોડની રકમ વિવિધ સરકારી સ્કીમોમાં ફળવાયેલી હતી તે અટકાવીને કમલનાથ દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા થોડા સમય પહેલાં જે બેનામી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે આ જ રકમ હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે. કમનલનાથ દ્વારા રાજ્યના ગરીબ બાળકો અને અન્ય લોકોની કલ્યાણ યોજનાઓમાંથી આ રકમ ખેંચીને ચૂંટણીમાં લુંટાવવામાં આવી હોવાના અહેવાલ ટાઈન્સ નાઉ દ્વારા રજૂ કરાયા છે. તેણે એમ પણ જણાવ્યું કે, આઈટી વિભાગે આ મુદ્દે ૯૨ પાનાનો એક અહેવાલ તૈયાર કરીને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. અહેવાલ સીબીઆઈને પણ સોંપવામાં આવ્યો છે અને તપાસ માટે અપીલ કરવામાં આવી છે. અહેલવામાં જણાવવામાં આવ્યું છે કે, આ કૌભાંડમાં કમલનાથથી માંડીને દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર સંભાળતા અને ગાંધી પરિવારની નજીકના નેતા એપી પણ સંકળાયેલા છે.
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વખત કમલનાથના સહયોગીઓ દ્વારા કરાયેલા કથિત ૨૮૭ કરોડના બેનામી લેવડદેવડનું ભૂત ધૂણ્યું છે. ટાઈમ્સ નાઉના એહવાલ પ્રમાણે ૨૮૭ કરોડની રકમ વિવિધ સરકારી સ્કીમોમાં ફળવાયેલી હતી તે અટકાવીને કમલનાથ દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા થોડા સમય પહેલાં જે બેનામી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે આ જ રકમ હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે. કમનલનાથ દ્વારા રાજ્યના ગરીબ બાળકો અને અન્ય લોકોની કલ્યાણ યોજનાઓમાંથી આ રકમ ખેંચીને ચૂંટણીમાં લુંટાવવામાં આવી હોવાના અહેવાલ ટાઈન્સ નાઉ દ્વારા રજૂ કરાયા છે. તેણે એમ પણ જણાવ્યું કે, આઈટી વિભાગે આ મુદ્દે ૯૨ પાનાનો એક અહેવાલ તૈયાર કરીને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. અહેવાલ સીબીઆઈને પણ સોંપવામાં આવ્યો છે અને તપાસ માટે અપીલ કરવામાં આવી છે. અહેલવામાં જણાવવામાં આવ્યું છે કે, આ કૌભાંડમાં કમલનાથથી માંડીને દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર સંભાળતા અને ગાંધી પરિવારની નજીકના નેતા એપી પણ સંકળાયેલા છે.