લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 5,000 પાનાની ચાર્જશીટમાં એસઆઈટીએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો છે. એટલું જ નહીં, એસઆઈટીના કહેવા પ્રમાણે આશીષ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતો.
તેના પહેલા એસઆઈટી લોખંડના બોક્સમાં 5,000 પાનાની ચાર્જશીટ લઈને લખનૌ કોર્ટ પહોંચી હતી. ચાર્જશીટમાં પોલીસે આશીષ મિશ્રાના અન્ય એક સંબંધીને પણ આરોપી બનાવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે વીરેન્દ્ર શુક્લા પર પુરાવા સંતાડવાનો આરોપ લાગ્યો છે. આશીષ મિશ્રાની થાર જીપની પાછળ ચાલી રહેલી 2 ગાડીઓમાંથી એક વીરેન્દ્રની સ્કોર્પિયો હતી. પહેલા શુક્લાએ પોતાની સ્કોર્પિયો સંતાડીને બીજાની ગાડી બતાવી હતી.
લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 5,000 પાનાની ચાર્જશીટમાં એસઆઈટીએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો છે. એટલું જ નહીં, એસઆઈટીના કહેવા પ્રમાણે આશીષ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતો.
તેના પહેલા એસઆઈટી લોખંડના બોક્સમાં 5,000 પાનાની ચાર્જશીટ લઈને લખનૌ કોર્ટ પહોંચી હતી. ચાર્જશીટમાં પોલીસે આશીષ મિશ્રાના અન્ય એક સંબંધીને પણ આરોપી બનાવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે વીરેન્દ્ર શુક્લા પર પુરાવા સંતાડવાનો આરોપ લાગ્યો છે. આશીષ મિશ્રાની થાર જીપની પાછળ ચાલી રહેલી 2 ગાડીઓમાંથી એક વીરેન્દ્રની સ્કોર્પિયો હતી. પહેલા શુક્લાએ પોતાની સ્કોર્પિયો સંતાડીને બીજાની ગાડી બતાવી હતી.