દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયા બાદ કોવિડ દર્દીઓના રિકવરી રેટમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતનો કોવિડ રિકવરી રેટ હવે 96.92 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત રોજેરોજ નોંધાતા કોરોના કેસો પણ 50 હજારથી નીચે રહે છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ 900થી નીચે પહોંચી છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,951 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 817 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,03,62,848 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 33,28,54,527 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયા બાદ કોવિડ દર્દીઓના રિકવરી રેટમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતનો કોવિડ રિકવરી રેટ હવે 96.92 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત રોજેરોજ નોંધાતા કોરોના કેસો પણ 50 હજારથી નીચે રહે છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ 900થી નીચે પહોંચી છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,951 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 817 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,03,62,848 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 33,28,54,527 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.