ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 191 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3753 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 586ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 465ના મોત થયા છે. રાજ્યના કુલ 9592 કેસ પૈકી 6910 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5253 એક્ટિવ કેસ છે જેમાં 5210 દર્દી સ્ટેબલ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 265
વડોદરા 13
સુરત 16
ભાવનગર 3
આણંદ 2
ગાંધીનગર 4
પાટણ 3
પંચમહાલ 2
બનાસકાંઠા 1
છોટા ઉદેપુર 4
મહેસાણા 6
પોરબંદર 1
ગીર-સોમનાથ 4
કુલ 324
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 191 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3753 લોકો સાજા થયાં છે.
આજે 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 586ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 465ના મોત થયા છે. રાજ્યના કુલ 9592 કેસ પૈકી 6910 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5253 એક્ટિવ કેસ છે જેમાં 5210 દર્દી સ્ટેબલ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 265
વડોદરા 13
સુરત 16
ભાવનગર 3
આણંદ 2
ગાંધીનગર 4
પાટણ 3
પંચમહાલ 2
બનાસકાંઠા 1
છોટા ઉદેપુર 4
મહેસાણા 6
પોરબંદર 1
ગીર-સોમનાથ 4
કુલ 324