ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી દીધી હતી અને અથડામણ એટલી જોરદાર હતી કે રસ્તા પર મૃતદેહો ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને એક ડઝન કરતા પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
બારાબંકીના રામસનેહી ઘાટ પાસે અયોધ્યા-લખનૌ હાઈવે પર અડધી રાતે આ દુર્ઘટના થઈ હતી. જાણવા મળ્યા મુજબ બસ હરિયાણાના પલવલથી બિહાર જઈ રહી હતી. બસમાં મજૂરો સવાર હતા જે બિહાર પાછા ફરી રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે ભારે મોટો રોડ અકસ્માત નોંધાયો છે. એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી દીધી હતી અને અથડામણ એટલી જોરદાર હતી કે રસ્તા પર મૃતદેહો ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને એક ડઝન કરતા પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
બારાબંકીના રામસનેહી ઘાટ પાસે અયોધ્યા-લખનૌ હાઈવે પર અડધી રાતે આ દુર્ઘટના થઈ હતી. જાણવા મળ્યા મુજબ બસ હરિયાણાના પલવલથી બિહાર જઈ રહી હતી. બસમાં મજૂરો સવાર હતા જે બિહાર પાછા ફરી રહ્યા હતા.