આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું હતું કે, 'નેતાજીના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે.' આ પ્રસંગે મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપીને 23મી જાન્યુઆરીને 'દેશનાયક દિવસ' તરીકે ઉજવવા અને નેશનલ હોલિડે ઘોષિત કરવાની માગણી કરી હતી.
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું હતું કે, 'નેતાજીના આદર્શ અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરિત કરતા રહેશે.' આ પ્રસંગે મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપીને 23મી જાન્યુઆરીને 'દેશનાયક દિવસ' તરીકે ઉજવવા અને નેશનલ હોલિડે ઘોષિત કરવાની માગણી કરી હતી.