કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ આંદોલન દરમિયાન 11 ખેડૂતોના મોત થયા છે અને સરકારના પેટનુ પાણી હાલી રહ્યુ નથી.
રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, કૃષિ કાયદાને પાછા લેવા માટે હજી અમારા કેટલા ખેડૂત ભાઈઓની આહુતિ આપવી પડશે?
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ કહ્યુ હતુ કે, છેલ્લા 17 દિવસમાં 11 ખેડૂતો શહીદ થયા હોવા છતા બેફામ બની ચુકેલી મોદી સરકારનુ દિલ પીગળી રહ્યુ નથી.તેમણે સવાલ કર્યો હતો કે, સરકાર હજી પણ અન્નદાતાઓ સાથે નહીં પણ ધનદાતાઓ સાથે ઉભી છે.દેશ જાણવા માંગે છે કે, રાજધર્મ મોટો છે કે રાજહઠ મોટી છે.
કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ આંદોલન દરમિયાન 11 ખેડૂતોના મોત થયા છે અને સરકારના પેટનુ પાણી હાલી રહ્યુ નથી.
રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, કૃષિ કાયદાને પાછા લેવા માટે હજી અમારા કેટલા ખેડૂત ભાઈઓની આહુતિ આપવી પડશે?
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ કહ્યુ હતુ કે, છેલ્લા 17 દિવસમાં 11 ખેડૂતો શહીદ થયા હોવા છતા બેફામ બની ચુકેલી મોદી સરકારનુ દિલ પીગળી રહ્યુ નથી.તેમણે સવાલ કર્યો હતો કે, સરકાર હજી પણ અન્નદાતાઓ સાથે નહીં પણ ધનદાતાઓ સાથે ઉભી છે.દેશ જાણવા માંગે છે કે, રાજધર્મ મોટો છે કે રાજહઠ મોટી છે.