રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 9 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,46,673 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,26,657 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,531 પર પહોંચ્યો છે.
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 790.45 ટેસ્ટ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,311 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,26,657 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 86.35 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,11,020 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,10,611 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 490 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16,399 લોકો સ્ટેબલ છે. 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,531 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 9 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,46,673 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,26,657 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,531 પર પહોંચ્યો છે.
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 790.45 ટેસ્ટ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,311 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,26,657 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 86.35 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,11,020 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,10,611 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 490 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16,399 લોકો સ્ટેબલ છે. 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,531 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે.